દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન એન્ટિલિયામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ પગલું ટેક્સી ડ્રાઈવરના ફોન પછી આવ્યું છે કે બે શંકાસ્પદ લોકો અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે. આ બંને લોકો પાસે બેગ પણ હતી.
મુંબઈ પોલીસે આ સમગ્ર મામલા વિશે જણાવ્યું કે અમને એક ટેક્સી ડ્રાઈવર દ્વારા કહેવામાં આવ્યું કે મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા વિષે બે લોકો વિશે પૂછી રહ્યા છે. આ લોકો પાસે બેગ પણ હતી. એન્ટિલિયાની બહાર હવે સુરક્ષા કડક કરવામાં આવી છે અને ડીસીપી સ્તરના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ એન્ટિલિયા ચર્ચામાં આવ્યું હતું. તમના ઘર નજીક એક સ્કોર્પિયો વાહન મળી આવ્યું હતું. આ વાહનમાંથી જિલેટીનની લાકડીઓ મળી આવી હતી અને એક પત્ર પણ મળી આવ્યો હતો. આ કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાજેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે જ સમયે, થોડા દિવસો પછી આ વાહનના માલિકની પણ હત્યા કરવામાં આવી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના 27 માળનું ઘર એન્ટિલિયા વિશ્વના સૌથી આલિશાન અને મોંઘા મકાનોમાંનું એક છે. આ ઘરનું નામ એટલાન્ટિકના એક પૌરાણિક ટાપુ પરથી રાખવામાં આવ્યું છે. તેના નિર્માણમાં લગભગ બે અબજ ડોલરનો ખર્ચ થયો હતો. એન્ટિલિયામાં છ માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને ત્રણ હેલિપેડ છે.
ભ્રષ્ટાચાર / રાફેલ ડીલમાં નવો ખુલાસોઃ વચેટિયાઓને કરોડોની લાંચ, ફ્રેન્ચ અખબારનો દાવો
પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …
યમુનામાં પ્રદુષણનો કહેર / યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજા મનાવવા મજબૂર