જામનગર ના જન્મેલા જામનગરનાં રાજવી પરિવારનાં રાજકુંવરીબા શ્રી હર્ષદકુંવરીબાનું આજરોજ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેવો આમ તો જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના મોટા બેન થાય છે, હર્ષદકુમારીબાના નિધનથી શોક વ્યાપી ગયો છે, અને રાજવી પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી હતી.. અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે આજે સવારે અંતિમ શ્વાસ લીધાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો;સુપ્રીમે આપી રાહત ! / સ્પાઇસજેટને SCની રાહત! એરલાઇનને બંધ કરવાના આદેશ પર ત્રણ સપ્તાહ માટે રોક
ઇશ્વર સદગતના આત્માને શાંતિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના…. હર્ષદ કુમારીબા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખુબ જ સક્રિયા હતા… ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વરસોથી સંક્ળાયેલા રહ્યા હતા, ઉપરાંત જામનગરના શિક્ષણક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર સત્યસાઇ શૈક્ષણિક સંસ્થામાં પણ તેઓ કર્તાધર્તા હતા…. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે… આ માટે તેઓ સતત ચિંતિત રહેતા હતા..
આ પણ વાંચો:ગુજરાત / રાજ્યમાં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઇ
.છેલ્લા ઘણા લાંબા સમયથી તેઓ બિમાર હતા… પ્રથમ તેમને જામનગરની ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે એરલીફ્ટ કરીઅમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઇ જવાયા હતા…જયાં સારવાર બાદ તેમનું નિધન થયું…. સ્વ.રાજકુમારી હર્ષદકુમારીબાની ચીર વિદાયને લઈને જામનગરના રાજવી શ્રી જામ સાહેબ બાપુનો શોક સંદેશો સામે આવતા જ જામનગર શોક મગ્ન બન્યું છે.