ગાંધીનગર,
બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ષડયંત્ર દ્વારા સીનિયર નેતાઓ અને પોલીસને હેરાન કરવામાં આવતા હતા અને જે એન્કાઉન્ટર થયાં તે દેશ અને રાજ્યના હિતમાં થયાં છે.