રાજધાની દિલ્હીમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. પાર્ટીએ કેન્દ્ર સરકારની દખલ વિના દિલ્હીમાં મુક્ત, ન્યાયી અને ઝડપી ચૂંટણીની માંગ કરી છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે રાજ્ય ચૂંટણી પંચે MCD ચૂંટણીની તારીખોની જાહેરાત છેલ્લી ક્ષણે મોકૂફ રાખી હતી.
આ પણ વાંચો:પંજાબમાં શરૂ થશે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન, વોટ્સએપ પર સીધી મુખ્યમંત્રીને ફરિયાદ
સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે ચૂંટણી સમયસર થવી જોઈએ અને કેન્દ્ર સાથેની વાતચીતને કારણે ચૂંટણીનો કાર્યક્રમ મોકૂફ ન રાખવો જોઈએ. તેમણે કહ્યું કે ત્રણ MCDના વિલીનીકરણની સંભાવના પર કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી અનૌપચારિક વાતચીતથી ચૂંટણીના કાર્યક્રમને અસર થવી જોઈએ નહીં.
આપને જણાવી દઈએ કે ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ રાજ્ય ચૂંટણી પંચને કેન્દ્ર સરકાર તરફથી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પત્ર મળ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરીથી જોડવા માંગે છે. આ અંગેનું બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે, તેથી હવે ચૂંટણી ન થવી જોઈએ.
રાજ્ય ચૂંટણી કમિશનર એસ કે શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ત્રણેય મહાનગરપાલિકાઓને એક કરવા માંગે છે. તેમણે કહ્યું કે પંચ બંધારણીય સંસ્થા હોવાના કારણે આ સૂચન સ્વીકારવા બંધાયેલ નથી, પરંતુ જો કોઈ પક્ષ તરફથી કોઈ માહિતી મળી હોય તો તેના પર વિચાર કરવો જરૂરી છે.
MCD ચૂંટણી મુલતવી, ભાજપે હાર સ્વીકારી લીધી છેઃ કેજરીવાલ
MCD ચૂંટણી કાર્યક્રમ મુલતવી રાખવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે બીજેપી ભાગી ગઈ. MCD ચૂંટણી મુલતવી. ભાજપે હાર સ્વીકારી લીધી છે. દિલ્હીવાસીઓ નારાજ છે, તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી કરાવવાની હિંમત નથી? હવે તેમના જામીન જપ્ત કરવામાં આવશે. તેમણે વધુમાં દાવો કર્યો કે અમારા સર્વેમાં 272માંથી 250 બેઠકો આવતી હતી, પરંતુ હવે 260થી વધુ બેઠકો આવશે.
આ પણ વાંચો: નવાબ મલિકના જામીન માટે 3 કરોડની માંગણી, પુત્રએ નોંધાવી FIR
આ પણ વાંચો: રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..