ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,259 નવા કેસ નોંધાયા છે. ,એક દિવસ પહેલા કોરોનાના 1270 કેસ નોંધાયા હતા. નવા કેસ સાથે, દેશમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા હવે વધીને 42,485,534 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં આ વાયરસના કારણે કુલ 35 લોકોના મોત થયા છે.
દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક હવે 5,21,070 પર પહોંચી ગયો છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1705 લોકોએ કોરોના વાયરસને હરાવ્યો છે. ભારતમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલો ઘટાડો રાહતની નિશાની જણાય છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોમાં, દેશભરમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ આગળ વધી રહ્યા છે જે દેશ માટે સારા સમાચાર છે, છેલ્લા એક સપ્તાહથી કેસમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે,.આજે પણ વિશ્વના કોરોનાના કેસની વાત કરીએ તો ચીનમાં કોરોનાએ ફરીવાર હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉન ચીની સરકારે લગાવ્યો છે.