Not Set/ પ્રેમીએ આત્મહત્યા ન કરી તો પ્રેમિકાએ નોંધાવી FIR !

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રેમ કહાનીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, હકીકતમાં  એક પ્રેમી યુગલ સાથે જીવવા અને મરવાની સોગંધ લઇને પ્રયાગરાજના નૈની બ્રિજ પર પહોંચ્યું હતું.

Top Stories India
4 2 4 પ્રેમીએ આત્મહત્યા ન કરી તો પ્રેમિકાએ નોંધાવી FIR !

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રેમ કહાનીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં  એક પ્રેમી યુગલ સાથે જીવવા અને મરવાની સોગંધ લઇને પ્રયાગરાજના નૈની બ્રિજ પર પહોંચ્યું હતું. નદીના પુલ પર પહોંચ્યા બાદ પ્રેમિકાએ છલાંગ લગાવી હતી, પરંતુ પ્રેમીએ છલાંગ ન લગાવી. આ જોઈને પ્રેમિકા નદીમાંથી તરીને બહાર નીકળી ગઈ અને તેના પ્રેમી વિરુદ્ધ કેસ દાખલ કર્યો.

નોંધનીય છે કે સદભાગ્યે ગર્લફ્રેન્ડને તરતા આવડતુ હતું. માટે તે તરીને નદી કિનારે પહોંચી, ત્યાં સુધીમાં પ્રેમી સ્થળ પરથી નાસી ગયો હતો. પ્રેમીએ દગો કર્યાનો ખ્યાલ આવતા જ પ્રેમિકા નારાજ થઈને સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં તેણે પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

હકીકતમાં એક 32 વર્ષની પરિણીત મહિલાને 30 વર્ષના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેનો પ્રેમ એટલો વધી ગયો કે તેઓએ એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા. જ્યારે મહિલા તેના બાળકો સાથે પુણે ગઈ ત્યારે આ પ્રેમ અંતર આવી ગયું. પ્રેમિકાની ગેરહાજરીમાં પ્રેમીએ લગ્ન કરી લીધા હતા. પ્રેમિકા પુણેથી પાછી આવી ત્યારે તેના પ્રેમીના લગ્નના સમાચારથી તે પરેશાન થઈ ગઈ હતી. આ પછી પ્રેમિકાએ તેના પ્રેમીને પત્ની સાથે છૂટાછેડા લેવાનું કહ્યું ત્યાર પછી બન્ને વચ્ચે લડાઈ શરૂ થઇ. પ્રેમિકાએ પ્રેમીને છૂટાછેડા લીધા બાદ પોતે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ પ્રેમીને તેમાં કોઈ રસ નહોતો. આ લડાઈ વચ્ચે બંનેએ સાથે મળીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. બંને પ્રયાગરાજના નવા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરવાના ઈરાદે નદી પર પહોંચ્યા હતા. પ્રેમિકાએ નદીમાં છલાંગ લગાવી, પરંતુ પ્રેમીએ તક ઝડપી ત્યાંથી રફૂચક્કર થઇ ગયો.

પ્રયાગરાજના આ અજીબોગરીબ મામલામાં પહેલીવાર એવી વાત સામે આવી છે કે પ્રેમિકાએ આત્મહત્યા ન કરવા બદલ પ્રેમી વિરુદ્ધ FIR નોંધાવી છે. પરિણીત પ્રેમિકાએ પ્રયાગરાજના કીડગંજ પોલીસ સ્ટેશનમાં તેના પરિણીત પ્રેમી પર ઘણા ગંભીર આરોપ લગાવતા FIR નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસ, મોબાઈલ ફોનને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે.