કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર દેશમાં નફરત ફેલાવવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની નફરતની કિંમત દરેક ભારતીય ચૂકવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતની સાચી સંસ્કૃતિ વિવિધ સમુદાયો વચ્ચે એકતાનો સંદેશ આપે છે પરંતુ RSSની નફરતની રાજનીતિને કારણે દરેક ભારતીયને તેની કિંમત ચૂકવવી પડી રહી છે.
ભાજપ-આરએસએસની નફરતની કિંમત દરેક ભારતીય ચૂકવી રહ્યો છેઃ રાહુલ
કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે દરેક ભારતીય ભાજપ-આરએસએસની નફરતની કિંમત ચૂકવી રહ્યો છે. ભારતની સાચી સંસ્કૃતિ સહિયારી ઉજવણી, સમુદાય અને એકતાની છે. ચાલો તેને સાચવવાનો સંકલ્પ કરીએ.
Every Indian is paying the price for the hate fueled by BJP-RSS.
India's true culture is that of shared celebrations, community, and cohesive living.
Let’s pledge to preserve this. 🇮🇳 pic.twitter.com/Gph8k0TwOb
— Rahul Gandhi (@RahulGandhi) April 16, 2022
નફરત અને કટ્ટરતા બંધ કરવી જરૂરી છેઃ સોનિયા ગાંધી
કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક અખબારના લેખમાં કહ્યું છે કે આજે આપણા દેશમાં નફરત, ધર્માંધતા, અસહિષ્ણુતા અને અસત્ય પ્રવર્તે છે. જો હવે આપણે તેને અટકાવીશું નહીં તો આવનારા સમયમાં એટલું નુકસાન થશે કે આપણે તેની ભરપાઈ કરી શકીશું નહીં.
આ પણ વાંચો: કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાનું આપ્યું આમંત્રણ, જાણો કોણે આપ્યું

