31 જાન્યુઆરીને શુક્રવારથી શરુ થયેલ સંસદનાં બજેટસત્ર પર હાલ દેશભરની મીટ મંડાયેલી જોવામાં આવી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા બજેટ 2020 પાસે દેશભરનાં ઉદ્યોગપતિ, નાના-મોટા વેપારી અને પ્રોફેશનલોથી માંડીને સામાન્ય માણસની શું અપેક્ષા છે તે ધ્યાનમાં રાખીને તૈયારને બજેટ ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સુરત અને અમરેલી-ભાવનગર એટલે હીરા ઉદ્યોગનાં હબ તરીકે ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા લાંબા સમયથી હીરા ઉદ્યોગ મૃતપાય હાલતમાં ચાલી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને ઓછું ભણેલા લોકોની જીવાદોરી સમા આ ઉદ્યોગ પર ગુજરાતમાં લાખો લોકોનું જીવન નિર્વહન થાય છે. ત્યારે હાલ હીરા ઉદ્યોગમાંથી હિરાની ચમક જ ઉડી ગઇ હોય તેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. એમ કહી શકાય કે અડધો અડધ ટર્નઓવર સાથે ખેંચાતો – ઢસડાતો ચાલતો આ ઉદ્યોગ બજેટ પર મીંટ માંડીને બેઠો છે. ત્યારે આવો જાણીએ મંતવ્ય ન્યૂઝના આ ખાસ અહેવાલ મારફતે કે બજેટ 2020માં હીરા ઉદ્યોગને શું આશા છે…….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
