ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યમાં વીજળીના મુદ્દે રાજ્યની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિજળીનું બિલ જમા કરાવવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જનતા પર શા માટે વીજળીની કટોકટી લાદવામાં આવી રહી છે.
તેમણે ટ્વીટ કર્યું, “ભાજપે ચૂંટણીમાં કહ્યું હતું કે, ખેડૂતોને આગામી 5 વર્ષ સુધી વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે દરેક ગ્રાહક ચૂકવશે તો જ સપ્લાય થશે. આ સરકારે જણાવવું જોઈએ કે, ઉત્પાદન ક્ષમતા કેટલી હતી. સપાના સમયમાં વધારો થયો, આ સરકારે તેમાં વધારો કેમ ન કર્યો અને શા માટે લોકો પર વીજળીની કટોકટી લાદવામાં આવી.
भाजपा ने चुनाव में कहा कि किसानों को अगले 5 साल बिजली बिल नहीं देना पड़ेगा पर अब कह रहे हैं कि हर एक उपभोक्ता भुगतान करे तभी आपूर्ति होगी।
ये सरकार बताए कि सपा के समय में जो उत्पादन क्षमता बढ़ी थी, उसमें इस सरकार ने कोई बढ़ोत्तरी क्यों नहीं करी व जनता पर बिजली संकट क्यों थोपा।
— Akhilesh Yadav (@yadavakhilesh) May 2, 2022
સીએમ યોગીએ આ વાત કહી હતી
અગાઉ, વીજળીની સમસ્યાના સંદર્ભમાં, સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું- “વીજળીનો પુરવઠો ચાલુ રાખવા માટે બિલ ચૂકવવું જરૂરી છે. વીજળીનો વપરાશ કરતા દરેક ગ્રાહકની જવાબદારી છે કે તે સમયસર વીજળીનું બિલ ચૂકવે. “
