રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે નામાંકનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) કે વિપક્ષે ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. અહીં, આજે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મુદ્દે એક બેઠક યોજવા જઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસ પણ હાજરી આપે તેવી શક્યતા છે.
જો કે આ બેઠક પહેલા મમતાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ઝાટકો આપવામાં આવ્યો હતો. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (AAP) પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસના વડા મમતા બેનર્જીએ આજે દિલ્હીમાં બોલાવેલી વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લેશે નહીં. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થયા બાદ જ AAP આ મુદ્દા પર વિચાર કરશે.
એવા પણ અહેવાલ છે કે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની બીજુ જનતા દળ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ બુધવારે યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકથી દૂર રહી શકે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે.
શરદ પવારે ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યો હતો
જણાવી દઈએ કે, NCP પ્રમુખ શરદ પવારે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓના ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે. મંગળવારે દિલ્હી પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્યા ન હતા. હવે બુધવારે મળનારી બેઠકમાં નવા નામોની ચર્ચા થાય તેવી શક્યતા છે.
દિલ્હી પહોંચ્યા મમતા, આજે બેઠક
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને બિન-ભાજપ પક્ષોની બેઠક માટે મમતા મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. મમતાએ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને રાષ્ટ્રપતિની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા બુધવારે યોજાનારી બેઠકમાં હાજર રહેવા વિનંતી કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ પણ હાજરી આપે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિની ચૂંટણી પર આજે વિપક્ષની બેઠક, કોંગ્રેસની હાજરીના વિરોધમાં KCRની પાર્ટીએ બહિષ્કાર કર્યો