દિલ્હી-NCRમાં રાતે 11 વાગ્યા બાદ ફટાકડા ફોડવાની પણ મંજૂરી નહીં મળે. બીજી બાજુ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે ચંદીગઢ, હરિયાણા અને પંજાબમાં સાંજે સાડા છ વાગ્યાથી રાતે સાડા નવ વાગ્યા સુધી જ ફટાકાડા ફોડી શકાશે તેવો આદેશ જાહેર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફટાકડાના વેચાણ પર બેન લગાવ્યો છે પરંતુ ફોડવા પર નહીં. કોર્ટે કહ્યું કે, અમને ખબર છે કે આ નિર્ણયથી ફટાકડા મુક્ત દિવાળી નહીં થાય પરંતુ અમે પર્યાવરણ બચાવવાની કોશિશ પણ કરી છે. અમને ખબર છે કે ફટાકડાનું વેચાણ ચાલુ છે
જસ્ટિસ એ.કે.સિકરીની અધ્યક્ષતા હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે અમે જોવા માગીએ છીએ કે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધથી હવા પ્રદૂષણ કેટલી અસર પડશે. એર ક્વોલિટી રિપોર્ટ જોઈને આગળ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 11 નવેમ્બરે દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.