આજે દેશમાં હનુમાન જયંતિનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના બોટાદ જિલ્લાના સારંગપુર મંદિરમાં ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સિવાય આજે અમિત શાહે મંદિરમાં નવી ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જે 7 એકરમાં બનેલ છે. બીજી તરફ ભાજપ પણ તેનો 44મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ભાજપ આ બંને પ્રસંગોને સારી રીતે ઉજવી રહ્યું છે.
હનુમાન જયંતિના શુભ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદ જિલ્લાના સારંગપુર મંદિરમાં ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રાર્થના કરી હતી. અમદાવાદથી લગભગ 150 કિમી દૂર સલંગપુર હનુમાન મંદિર પરિસરમાં કષ્ટભંજન હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે.
ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે. ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે. 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવવામાં આવી છે. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે. 25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.
મળતી માહિતી મુજબ પંચધાતુથી બનેલી 30 હજાર કિલો વજનની આ મૂર્તિ 7 કિમી દૂરથી જોઈ શકાય છે. અમિત શાહ આજે સવારે અહીં પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ પ્રતિમાની કિંમત 6 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કષ્ટભંજન હનુમાન મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1905માં કરવામાં આવી હતી. તેનું નિર્માણ સદગુરુ ગોપાલાનંદ સ્વામીએ કરાવ્યું હતું. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં આવવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ
આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો
