બનારસઃ ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાના છેલ્લા દિવસે કૉંગ્રેસ-સપા બસપા અને બીજેપી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 7 તબક્કામાં પ્રધાનમંત્રી વારણાસીની 8 બેઠકો માટે પણ મતદાન થવાનું હોવાથી .પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે મોર્ચો સંભાળેલો છે. છેલ્લા બે દિવસથી યૂપીમાં રોકાય છે. રોડ શો અને સભા કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રીએ બનારસમાં પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાત્રીના જન્મસ્થળની મલાકાત લીધી હતી. ત્યાર બાદ રોડ શો નું આયોજન કર્યું હતું. મોદી બનારસના ગઢવાઘાટ આશ્રમ પહોંચ્યા અને ત્યાં શાળામાં ગાયોને ઘાસ ખવડાવ્યું. મોદીએ આશ્રમમાં રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી હતી. આશ્રમની મુલાકાત બાદ મોદીએ રોડ શો યોજ્યો હતો અને બનારસમાં સમર્થકોનું અભિવાદન કર્યું હતું. રોડ શો બાદ લાલ બહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની મુલાકાત લીધી.
ઉત્તર પ્રદેશના છેલ્લા અને 7 તબક્કામાં 49 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેમા પ્રધાનમંત્રીની લોકસભાની વારણાસીની 8 સીટ માટે પણ મતદાન થશે. પ્રધાનમંત્રી વારણાસીની 8 બઠકો પર કબજો જમાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.