આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી છે. જેને લઈને પાર્ટી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહી છે. દરમિયાન, ભાજપ લઘુમતી મોરચાના વિશેષ અભિયાન ‘મોદી મિત્ર’ દ્વારા મુસ્લિમોને પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરશે.ભાજપ લઘુમતી મોરચા મોદી સરકારની નવ વર્ષની યોજનાઓને મુસ્લિમ સમુદાયની વચ્ચે લઈ જશે. આ અંગે લાભાર્થીઓની કોન્ફરન્સ યોજાશે. આ અંતર્ગત પાર્ટી યુપીમાં ઘણી જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરશે. જેમાં કેન્દ્ર સરકારનું કામ તેમના સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યક્રમ શું છે?
ભાજપ લઘુમતી મોરચો ગુરુવારે સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના દેવબંદમાં એક સંમેલન કરશે. આ પછી પાર્ટી શુક્રવારે (23 જૂન) બપોરે 3 વાગ્યે બાગપતમાં એક સંમેલનનું આયોજન કરશે. આ સિવાય શુક્રવારે મેરઠમાં સાંજે 4 વાગ્યે અને ગાઝિયાબાદમાં શનિવારે (24 જૂન) સાંજે 4 વાગ્યે કાર્યક્રમ યોજાશે. દાવો શું છે? ભાજપ લઘુમતી મોરચો ‘મોદી મિત્ર’ અભિયાન દ્વારા મુસ્લિમ સમુદાયના પ્રબુદ્ધ અને બૌદ્ધિક લોકો સુધી પહોંચશે.
આ દરમિયાન પાર્ટી લઘુમતી સમુદાયને મોદી સરકારની નીતિઓ વિશે જણાવશે. પાર્ટીનો દાવો છે કે આ અભિયાનમાં 1 લાખ મુસ્લિમ કાર્યકરો દેશના તમામ ભાગોમાં જશે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ એક થવાનો પ્રયાસ કરી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી પાર્ટીઓની ભાવિ રણનીતિને લઈને 23 જુલાઈએ પટનામાં બેઠક બોલાવી છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, એનસીપી ચીફ શરદ પવાર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ બેઠકમાં ભાગ લઈ શકે છે. આ બેઠકને સમયની જરૂરિયાત ગણાવતા શરદ પવાર અને બેનર્જી સહિત અન્ય નેતાઓએ કહ્યું છે કે લોકશાહી બચાવવા માટે આ જરૂરી છે.