જો તમે કોઈને પૂછો કે મહાભારત યુદ્ધ માટે કોણ જવાબદાર છે? તમને જવાબ મળશે કે આ યુદ્ધનું કારણ મામા શકુની હતા. આપણે બધા જાણીએ છીએ કે મામા શકુની કૌરવ વંશનો વિનાશ ઇચ્છતા હતા. આ કારણે તેને પાંડવો અને કૌરવો વચ્ચે નફરતના બીજ વાવ્યા અને આખરે આ નફરત મહાભારતના યુદ્ધમાં પરિવર્તિત થઈ. એમ કહી શકાય કે દુર્યોધનને ખોટા રસ્તે લઈ જવામાં સૌથી મોટી ભૂમિકા મામા શકુનીની હતી. મહાભારતના પાત્રોમાં મામા શકુનીને સૌથી મોટો વિલન માનવામાં આવે છે.
આ જગ્યાએ મામા શકુનીનું મંદિર છે
આ બધું હોવા છતાં આપણા દેશમાં મામા શકુનીની પૂજા થાય છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે. પણ આ વાત સાચી છે. ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં મહાભારતના ખલનાયક મામા શકુનીનું મંદિર છે અને આ મંદિરમાં તેમની પૂજા પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારત યુદ્ધ સમાપ્ત થયું ત્યારે મામા શકુનીને વિનાશ જોઈને ખૂબ જ દુઃખ થયું. મામા શકુનીને અફસોસ હતો કે તેને બદલો લેવાની શોધમાં તેના ભત્રીજાઓ અને તેની નજીકના લોકોનું બલિદાન આપ્યું હતું.
આ કારણે મામા શકુનીની પૂજા કરવામાં આવે છે
આનો પસ્તાવો કરવા મામા શકુનીએ પોતાના સંસારનો ત્યાગ કર્યો અને ત્યાગ સ્વીકાર્યો. આ પછી તેને કેરળ રાજ્યના કોલ્લમમાં શાંતિ માટે ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું. શકુની મામાની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભગવાન શિવ તેમની સમક્ષ પ્રગટ થયા. એવું કહેવાય છે કે જ્યાં મામા શકુનીએ તપસ્યા કરી હતી તે સ્થાન પર એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરનું નામ મયમકોટ્ટુ મલંચરુવુ મલનાદ છે. જે પથ્થર પર મામા શકુનીએ બેસીને ભગવાન શિવની પૂજા કરી હતી. આ મંદિરમાં તે પથ્થરની પૂજા કરવામાં આવે છે. લોકો આ પથ્થરને પવિત્રેશ્વરમ તરીકે ઓળખે છે.
આ પણ વાંચો :શું તમે જાણો છો ,બ્રેડના પેકેટની ઉપરની અને નીચેની બ્રેડ કેમ અલગ હોય છે ..
આ પણ વાંચો :ઘરે બનાવો એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બજાર જેવી ચોરાફળી, નોંધીલો રેસીપી