છેલ્લા ઘણા દિવસોથી એવું લાગી રહ્યું છે કે જાણે કોઈનું ધ્યાન સિનેમાની દુનિયા પર પડ્યું હોય. એક યા બીજા સ્ટારના અવસાનના સતત સમાચારોને કારણે બી-ટાઉન અસ્વસ્થ છે. હાલમજ સમાચાર આવી રહ્યા છે કે ભોજપુરી સિનેમાના દિગ્ગજ અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું નિધન થયું છે. માહિતી અનુશાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અભિનેતાના નિધનથી ભોજપુરી સિનેમાના ચાહકો શોકમાં છે. બ્રિજેશ ત્રિપાઠીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને દર્શકોના દિલ પર અમીટ છાપ છોડી હતી.
બ્રિજેશ ત્રિપાઠીની ગણતરી ભોજપુરી સિનેમાના દિગ્ગજ કલાકારોમાં થાય છે. તેમાં રંગબાઝ દરોગા, લવ ઔર રાજનીતી અને ભાઈ જીનો સમાવેશ થાય છે. ભોજપુરી સિનેમાના મોટા કલાકારો સાથે કામ કરીને, તેમને કલા પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવ્યું. બ્રિજેશ ત્રિપાઠીનું મૃત્યુ અચાનક થયું હતું. જાણકારી અનુસાર, બ્રિજેશ ત્રિપાઠીને બે અઠવાડિયા પહેલા ડેન્ગ્યુ થયો હતો, જેના માટે તેમને મેરઠની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રિજેશે તેના દરેક પાત્રોને પડદા પર જીવંત કર્યા હતા.
બ્રિજેશ ત્રિપાઠીને અંતિમ વિદાય આપતી વખતે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. તેમના આકસ્મિક નિધનથી સિનેમાની દુનિયામાં એક ખાલીપો પડી ગયો છે જે ભરવાનું પડકારજનક હશે. બ્રિજેશ ત્રિપાઠીના અંતિમ સંસ્કાર આજે એટલે કે સોમવારે કરવામાં આવશે. વર્ષ 1979માં તેણે ‘સૈયા તોહરે કરણ’થી ડેબ્યૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે તેની પહેલી હિન્દી ફિલ્મ 1980માં આવી હતી, જેનું નામ હતું ‘ટેક્સી ચોર’. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે બોલિવૂડનો હિસ્સો હતો અને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
અભિનેતાના નિધન પર ફિલ્મ સ્ટાર્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમને અમિતાભ બચ્ચન, શારૂખ ખાન, સલમાન ખાન, રજનીકાંત, અજય દેવગન, ધર્મેન્દ્ર વગેરે જેવા સેલેબ્સ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. રવિ કિશને પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રવિ કિશને લખ્યું, ‘અમે બ્રજેશ ત્રિપાઠીજી સાથે લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની વિદાય એ ભોજપુરી ઉદ્યોગના યુગની વિદાય છે.
આ પણ વાંચો :Entertainment/‘વીડી 18’ શૂટિંગ દરમિયાન ઘાયલ થયો આ અભિનેતા, ફોટો શેર કરીને બતાવી પોતાની હાલત
આ પણ વાંચો :Entertainment/સલમાન ખાનના સાળા આયુષ શર્માની કારનો થયો અકસ્માત, ફેન્સ પરેશાન
આ પણ વાંચો :Actor Jack Axelrod/પ્રખ્યાત અભિનેતાનું નિધન, 93 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ