ભારતે તેની સ્વદેશી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ આકાશને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં સફળતા મેળવી છે. ડિફેન્સ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ શુક્રવારે આકાશ-NG મિસાઈલના નવા સંસ્કરણ અને સુધારેલા સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું. ઓડિશાના ચાંદીપુર કિનારે સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સવારે 10.30 વાગ્યે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓનું કહેવું છે કે આ નવી એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમે તેજ ગતિએ ઉડતા માનવરહિત હવાઈ લક્ષ્યને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું છે.
ડીઆરડીઓએ કહ્યું કે પરીક્ષણ દરમિયાન મિસાઈલ સિસ્ટમે સફળતાપૂર્વક હવાઈ લક્ષ્યને અટકાવી અને નષ્ટ કરી દીધું. આર્મી-એરફોર્સે તેને તૈનાત કરી છે.
#WATCH | India’s DRDO conducted a successful flight test of the New Generation AKASH (AKASH-NG) missile today. The test was conducted at AM from the Integrated Test Range, Chandipur off the coast of Odisha against a high-speed unmanned aerial target at very low altitude. During… pic.twitter.com/LVr3ly0hEk
— ANI (@ANI) January 12, 2024
આકાશ એર ડિફેન્સ સિસ્ટમ ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને અન્ય ઉદ્યોગોના સહયોગથી BEL/BDL દ્વારા વિકસાવવામાં આવી છે. આર્મી અને એરફોર્સે દેશની સરહદોની સુરક્ષા માટે આ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી છે. આ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ સિવાય ભારત પાસે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ S-400 પણ છે. S-400ને વિશ્વની શ્રેષ્ઠ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક ગણવામાં આવે છે. ભારતને રશિયા પાસેથી S-400ની અનેક સ્ક્વોડ્રન મળી છે.
ઘણા દેશો તેને ખરીદવા માંગે છે
સંરક્ષણ પ્રણાલી આકાશની ચોકસાઈ અને ઘાતકતાને ધ્યાનમાં રાખીને વિદેશોમાં તેની માંગ વધી છે. બ્રાઝિલ અને ઇજિપ્ત સહિત મધ્ય પૂર્વના ઘણા દેશોએ ભારતની આ સ્વદેશી મિસાઇલ સિસ્ટમ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આકાશ સિસ્ટમ માટે આર્મેનિયા તરફથી ઘણા ઓર્ડર મળ્યા છે અને આગામી થોડા મહિનામાં તેનો સપ્લાય શરૂ થશે. થોડા દિવસો પહેલા ભારતીય વાયુસેનાએ અસ્ત્રાશક્તિ નામની કવાયત હાથ ધરી હતી. આ કવાયતમાં આકાશ મિસાઈલની અજોડ ફાયર પાવર બતાવવામાં આવી હતી.
આમ કરનાર ભારત પ્રથમ દેશ છે
વાયુસેનાની આ કવાયત દરમિયાન, વાયુ સંરક્ષણ પ્રણાલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને એક સાથે ચાર માનવરહિત હવાઈ લક્ષ્યોને નષ્ટ કર્યા. ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેણે એક સમયે ચાર લક્ષ્યોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા દર્શાવી છે.
આ પણ વાંચો:Youth Power-PM Modi/યુવાનો તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવેઃ પીએમ મોદી
આ પણ વાંચો:ram mandir ayodhya/કોણ છે 4 શંકરાચાર્ય, કેમ રામ મંદિરથી દૂર રહેવાની છે ચર્ચા, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:Atal Setu/‘અટલ સેતુ’ મુંબઈની નવી લાઈફલાઈન, 2 કલાકની મુસાફરી 20 મિનિટમાં, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન