ગાંધીનગર/ લોકસભા ચૂંટણી પહેલાં આદિવાસી વોટ બેંક મજબૂત કરવા “વન સેતુ” યાત્રાનું આયોજન

ભવિષ્યમાં ભારતના જીડીપીમાં મહત્ત્વનું યોગદાન આપશે. તેમણે વન સેતુ ચેતના યાત્રા વિશે પણ વાત કરી હતી.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગાંધીનગરમાં રાજ્ય સરકારના મંત્રીઓની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટની સફળતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ સમિટ ગુજરાતીઓનું ગૌરવ છે, જે ભવિષ્યમાં ભારતના જીડીપીમાં મહત્ત્વનું યોગદાન આપશે. તેમણે વન સેતુ ચેતના યાત્રા વિશે પણ વાત કરી હતી.

જણાવીએ કે, લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે ભાજપ દ્વારા તમામ વર્ગને સાંકળી લેવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં પક્કડ મજબૂત કરવા માટે વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરી રહ્યા છે.

વન સેતુ ચેતના યાત્રા અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી વિકાસને સ્પર્શતી 5 દિવસીય “વન સેતુ ચેતના યાત્રા”નું આયોજન 18મી જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી.આર. તે કરવામાં આવ્યું હતું. આ યાત્રા ‘જાનકી વન’થી શરૂ થશે. આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત કુલ 14 જિલ્લામાંથી પસાર થશે. લગભગ 1000 કિ.મી. જે 22 જાન્યુઆરીએ અંબાજીમાં પૂર્ણ થશે.

આ યાત્રા આદિવાસી વિસ્તારોમાં યોજવામાં આવશે. જેમાં 51 આદિજાતિ તાલુકામાં 3 લાખ પરીવારને આવરી લેવાશે. જેની સાથે જ યાત્રામાં સરકારની સિદ્ધિઓ, રામ મંદિર અંગેની તેમજ આદિજાતિ વિકાસના કામોની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવશે. જેની સાથે જ આદિજાતિના લોકોને સન્માનિત કરવાની કામગીરી પણ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ