રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મકાનમાં લાગેલી આગ દુર્ઘટનામાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે. આ ઘટના વિશ્વકર્મા પોલીસ સ્ટેશન વિસ્તારના જેસલ્યા ગામમાં બની હતી. મૃત્યુ પામેલા તમામ લોકો બિહારના રહેવાસી હતા. તે અહીં આ મકાનમાં ભાડા પર રહેતો હતો. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમે ઘટના સ્થળ પર પંહોચી જ્યારે આગ પર કાબુ મેળવાઈ ગયો તેના બાદ પોલીસે મૃતકોના મૃતદેહોને કાંવટિયાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોની સારવાર માટે સૂચનાઓ જારી કરી છે. પોલીસની ટીમે ઘટના સ્થળ પર પંહોચી જ્યારે આગ પર કાબુ મેળવાઈ ગયો તેના બાદ મૃતકોના મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
જેસલ્યા ગામમાં આગ લાગવાની દુર્ઘટનાની માહિતી મળતાં જ દમકર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ સૌથી પહેલા ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી. અચાનક સિલિન્ડર ફાટતા સમગ્ર આગની દુર્ઘટના બની. આગ એટલી ભયાનક હતી કે ઘરમાં રહેલા લોકો બચવા માટે બહાર જઈ પણ શક્યા નહિ. તમામ લોકો આગદુર્ઘટનામાં જીવતા સળગી ગયા.
આ પણ વાંચો: Gandhi Family/આ વખતે સોનિયા, રાહુલ અને પ્રિયંકા પોતાની પાર્ટી કોંગ્રેસને વોટ નહીં આપી શકશે, જાણો કારણ
આ પણ વાંચો: Breaking News Earthquake/મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભકૂંપથી ધરા ધ્રુજી, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા
આ પણ વાંચો: sanjay raut/સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે