સ્માર્ટફોનની ચોરી એ સામાન્ય બાબત છે, પરંતુ સ્માર્ટફોનની ચોરીથી માત્ર તમને આર્થિક નુકસાન જ નથી થતું, પરંતુ ચોર તમારા ખાનગી ફોટા અને ઓનલાઈન પેમેન્ટની વિગતો પણ મેળવી લે છે. આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય, તો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળ કામ કરતા CEIR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ખોવાયેલો ફોન પાછો મેળવી શકાય.
CEIR પોર્ટલ શું છે?
CEIR પોર્ટલ વપરાશકર્તાઓને IMEI નંબર દ્વારા તેમના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સ્માર્ટફોન જેવા ખોવાયેલા અથવા ચોરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જાણ કરવાની મંજૂરી આપે છે.CEIR પોર્ટલ ખોવાયેલા કે ચોરાયેલા ફોનને બ્લોક કરવાની સુવિધા પૂરી પાડે છે. તે અનેક પ્રકારની સેવાઓ પણ આપે છે.
યૂઝર્સ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને માત્ર બ્લોક કરી શકતા નથી પણ તેને પુનઃપ્રાપ્ત પણ કરી શકે છે.
1. ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનની જાણ કરો
CEIR સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. ચોરીની જાણ કરવા માટે મોબાઈલ નંબર અને IMEI નંબરની જરૂર પડશે.
આ પછી તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.ફોનને બ્લોક કરવા માટે, પોલીસ ફરિયાદની ડિજિટલ કોપી સાથે સ્માર્ટફોનની વિગતોની જરૂર પડશે. એકવાર CEIR વેબસાઇટ પર બ્લોક થઈ ગયા પછી, ઉપકરણ કેન્દ્રીય ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે.આ પછી ચોરાયેલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
2. મળેલા મોબાઈલને અનબ્લોક કરો
જો ચોરાયેલો અથવા ખોવાયેલો મોબાઈલ પાછો મળી જાય, તો તેને CEIR પોર્ટલ પરથી અનબ્લોક કરી શકાય છે. અનબ્લોક કરવા માટે આઈડી અને મોબાઈલ નંબર નાખવો પડશે.
CEIR પોર્ટલ દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને પુનઃપ્રાપ્ત કરી શકાય છે. તમારે ફક્ત પોર્ટલ પર ઉપકરણનો IMEI નંબર રજીસ્ટર કરવો પડશે અને જરૂરી માહિતી દાખલ કરવી પડશે. આ ઉપકરણના રિપોર્ટિંગ અને ટ્રેકિંગ સાથે પુનઃઉપયોગને અટકાવે છે.
આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો
આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો
આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ