દેશભરમાં ત્રણ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. હવે લોકોની નજર ચોથા તબક્કાના મતદાન પર છે. 13 મેના રોજ ચોથા તબક્કા હેઠળ 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. ચોથા તબક્કાના મતદાન પહેલા રાજકીય પક્ષોએ હવે આ 96 બેઠકો પર પોતાનો પ્રચાર તેજ કર્યો છે. આ સંદર્ભમાં પીએમ મોદી આજે ઓડિશાના પ્રવાસે છે. જ્યાં તેઓ ચૂંટણી સભાને સંબોધશે.
તમને જણાવી દઈએ કે આજે પીએમ મોદી ઓડિશામાં ત્રણ ચૂંટણી રેલીઓમાં ભાગ લેશે. જ્યાં તેઓ સવારે 9.30 વાગ્યે કંધમાલમાં, 11.30 વાગ્યે બોલાંગીરમાં અને બપોરે 1 વાગ્યે બારગઢમાં ચૂંટણી સભા કરશે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે ઓડિશાની આ તેમની બીજી મુલાકાત છે. સાથે જ ચારેય સંસદીય ક્ષેત્રોમાં મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રાજ્ય પોલીસ દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
ઓડિશામાં એક સાથે લોકસભા ચૂંટણી 2024 અને વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે રાજ્યની રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે. પાર્ટીના એક નેતાએ આ જાણકારી આપી.
તેઓ ભુવનેશ્વરમાં શ્રી રામ મંદિરથી વાણી વિહાર ચોક સુધી બે કિલોમીટરનો રોડ શો કરશે. પાર્ટીએ ભુવનેશ્વર સીટ પરથી વર્તમાન સાંસદ અપરાજિતા સારંગીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ભુવનેશ્વરની ત્રણ વિધાનસભા બેઠકો પરથી બાબુ સિંહ, જગન્નાથ પ્રધાન અને પ્રિયદર્શી મિશ્રાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભાજપના ઓડિશા એકમના ઉપાધ્યક્ષ ગોલક મહાપાત્રાએ કહ્યું, “વડાપ્રધાન શુક્રવારે સાંજે 8 વાગ્યાથી રોડ શો કરશે. તેઓ રાજભવનમાં રાત્રિ આરામ કરશે. પાંચ વર્ષમાં રાજ્યમાં વડાપ્રધાન મોદીનો આ બીજો રોડ શો હશે.
વડાપ્રધાન મોદી ઓડિશામાં ત્રણ રેલીઓને પણ સંબોધિત કરશે. તેમની પ્રથમ રેલી શનિવારે સવારે 9.30 વાગ્યે કંધમાલમાં, બીજી સવારે 11.30 વાગ્યે બોલાંગીરમાં અને ત્રીજી બપોરના 1 વાગ્યે બારગઢમાં યોજાશે. વડાપ્રધાને અગાઉ 5 મેના રોજ રાજ્યની મુલાકાત લીધી હતી અને બે રેલીઓને સંબોધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રોડ શો અને રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે પોલીસે સુરક્ષા દળોની 55 ટુકડીઓ તૈનાત કરી છે (દરેકમાં 30 કર્મચારીઓ છે). અધિકારીના જણાવ્યા અનુસાર કાર્યક્રમ માટે શુક્રવારે બપોરે 2 વાગ્યાથી જનપથ પર ટ્રાફિક પ્રતિબંધ લાદવામાં આવશે. ભુવનેશ્વરના સાંસદ સારંગીએ લોકોને રોડ શોમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન
આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…