દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અવસર પર અભિનંદન પાઠવ્યા છે . ઈદ ઉલ અઝહાની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ દરેક વ્યક્તિ સ્વસ્થ અને ખુશ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને લખ્યું કે, તમામ દેશવાસીઓને, ખાસ કરીને દેશ-વિદેશમાં રહેતા મુસ્લિમ ભાઈ-બહેનોને ઈદ-ઉઝ-ઝુહાની હાર્દિક શુભેચ્છાઓ! ત્યાગ અને બલિદાનનો આ તહેવાર આપણને દરેક સાથે ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો સાથે આપણી ખુશીઓ વહેંચવાનો સંદેશ આપે છે. આ અવસર પર આપણે સૌ દેશવાસીઓ, ખાસ કરીને વંચિત વર્ગના લોકોના હિતમાં સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કરીએ.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ વિશેષ અવસર આપણા સમાજમાં સંવાદિતા અને એકતાના બંધનને વધુ મજબૂત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.
ભાજપના નેતા સૈયદ શાહનવાઝ હુસૈને કહ્યું, “હું સમગ્ર દેશના લોકોને ઈદની શુભેચ્છા પાઠવું છું, હું લોકોને અપીલ કરું છું કે આ તહેવાર શાંતિ અને ભાઈચારા સાથે ઉજવે.” હું આશા રાખું છું કે દરેકના જીવનમાં ખુશીઓ આવે અને દેશ પ્રગતિ કરે…”
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, ઈદ ઉલ અઝહા નિઃસ્વાર્થ બલિદાન, વિશ્વાસ અને ક્ષમાના સિદ્ધાંતોનું પ્રતીક છે. આપણે આ આનંદના પ્રસંગમાંથી પ્રેરણા લેવી જોઈએ અને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને પ્રગતિશીલ સમાજ માટે ભાઈચારાના મજબૂત બંધનોને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ પણ વાંચો: જાતીય સતામણી મામલે રાજ્યપાલ બોઝના ભત્રીજા વિરૂદ્ધ ઝીરો FIR
આ પણ વાંચો: ચૂંટણી પંચનું વલણ નિષ્પક્ષ રહ્યું નથી, કપિલ સિબ્બલે જણાવી દીધી વિપક્ષની આગળની રણનીતિ
આ પણ વાંચો: કળયુગી પિતાએ કરી પુત્રની ક્રૂર હત્યા