Breaking News/ ગાંધીનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન આઠના મોત, દુર્ઘટનાને લઈને થયો મોટો ખુલાસો

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સર્જાઈ છે.વાસણાના સોગઢી ગામે 9 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના સર્જાઈ છે.વાસણાના સોગઠી ગામની મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે. અને આઠ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. છે જયારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.આ ઘટના સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે.દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 10 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આઠ લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે.

ગણેશ વિસર્જન માટે ગ્રામજનોને મેશ્વા નદીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના કેટલાક યુવકો નદી પર પહેલા પહોંચી ગયા હતા અને ન્હાવા માટે કૂદી પડ્યા હતા. ત્યારબાદ સ્થળાંતર માટે આવતા ગ્રામજનોએ પાછળથી આ યુવાનોને ડૂબતા જોયા અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ 8 લોકો ડૂબી ગયા અને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે કારણ કે 2 લોકો હજુ પણ ગુમ છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ યુવકો વાસણા-સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવકો કાકા-બાપાના દીકરા છે જ્યારે બાકીના મિત્રો છે. આ દુખદ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ સહિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

 ફાયર વિભાગ, મામલતદાર અને ટીડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ યુવકને બચાવવાનો તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ મોટાભાગના યુવકો ડૂબી ગયા હતા. જ્યારે 2ની શોધખોળ હજુ ચાલુ છે.

પાટણમાં ગણપતિ વિસર્જનમાં પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં

અગાઉ પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોત બાદ જિલ્લા વહીવટી તંત્રએ સરસ્વતી નદીના કિનારે 20 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. જિલ્લા ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વિભાગ દ્વારા સરસ્વતી નદીમાં એક બોટ તૈનાત કરવામાં આવી છે અને આ બોટ અને પોલીસ દળ ગણેશ ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી સરસ્વતી નદીમાં કાર્યરત રહેશે.

પાંચ દિવસ સુધી ભગવાન ગણેશનું સ્થાપન કર્યા બાદ પાટણનો પ્રજાપતિ પરિવાર બુધવારે ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીમાં ગયો હતો. આવતા વર્ષે તુ સુખ આના આના ના નાદ સાથે પરિવારના તમામ સભ્યો ખુશ હતા. પરંતુ, કુદરતના મનમાં કંઈક બીજું હતું. બાળક ડૂબી ગયા બાદ તેને બચાવવા માટે એક પછી એક છ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ શીતલબેન, જીમિત, દક્ષ અને નયનભાઈના મૃત્યુથી આ ખુશી ફીકી પડી ગઈ હતી. આ ચાર લોકોની તેમના વિઘટન પહેલાની છેલ્લી તસવીરો પણ સામે આવી છે જેમાં દરેક ખુશ દેખાઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત

આ પણ વાંચો:જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ

આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું