Junagadh News/ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જેકે સ્વામીની CID ક્રાઈમે કરી ધરપકડ

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામીની CID ક્રાઈમે ધરપકડની ઘટના સામે આવી છે.આપને જણાવી દઈએ કે જમીન કૌભાંડ કેસમાં CID ક્રાઈમે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Breaking News

Junagadh News: જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામીની CID ક્રાઈમે ધરપકડની ઘટના સામે આવી છે.આપને જણાવી દઈએ કે જમીન કૌભાંડ કેસમાં CID ક્રાઈમે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતની ધરપકડ કરી છે. જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામીએ સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મહંત સામે રાજકોટ અને સુરતમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે ત્યારે સીઆઈડી ક્રાઈમે 10 દિવસના રિમાન્ડ મેળવી આગળની  તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે સુરતના એક કોર્પોરેટરે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે.કે.સ્વામી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કાઉન્સિલર હિમાંશુ રાઉલજી જે.કે.સ્વામીની છેતરપિંડીનો શિકાર બન્યા છે. જેકે સ્વામીએ સુરતના વોર્ડ નંબર 22ના ભાજપના કાઉન્સિલર હિમાંશુ રાઉલજી સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

નોંધનીય છે કે આ પહેલા પણ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત કારસ્તાન આવી ચુક્યા છે. આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિર પ્રોજેક્ટ બનાવવાના બહાને તેણે લોકોને છેતર્યા હોવાનું બહાર આવ્યું હતું. પ્રોજેક્ટ માટે જમીનના સોદામાં 2016માં રૂ. 1.70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, આણંદના રિંઝા ગામમાં નદી કિનારે મંદિર બનાવવાની ઓફર કરી હતી. જમીન દલાલ સુરેશ ગૌરીએ ડોક્ટરને જણાવ્યું કે સંત જમીન ખરીદવા માગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ

આ પણ વાંચો:જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ

આ પણ વાંચો:જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી