Pakistan Marine/ પાકે. લખ્ખણ ઝળકાવ્યા, પાક. મરીને ઓખાની ભારતીય માછીમારોની બોટ પર ફાયરિંગ કરી ડૂબાડી

પાકિસ્તાની મરીને ફરી એકવાર તેના લખ્ખણ ઝળકાવ્યા છે. મોડી રાત્રે પાકિસ્તાની મરીને ઓખાની બોટ પર ગોળીબાર કર્યો હતો. સદનસીબે માછીમારોનો આબાદ બચાવ થયો હતો.

Top Stories Gujarat Others Breaking News

Porbandar News: પાકિસ્તાની મરીને ફરી એકવાર હિંમત બતાવી છે. મોડી રાત્રે પાકિસ્તાની મરીને ઓખાની બોટ પર ગોળીબાર કર્યો હતો. સદનસીબે માછીમારોનો આબાદ બચાવ થયો હતો. બોટ પલટી ગઈ હોવાનું જાણવા મળે છે. બોટના માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.

પાકિસ્તાની મરીનની નાપાક પ્રવૃત્તિઓ
પાકિસ્તાની મરીન સિક્યુરિટી ગાર્ડ સતત ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરી રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી શાંતિ પ્રવર્તી રહી છે, પરંતુ પાકિસ્તાની મરીને ફરી એકવાર હિંમત બતાવી છે. ગઈકાલે એટલે કે રવિવારે રાત્રે પાકિસ્તાની મરીને ભારતીય જળસીમા નજીક માછીમારી કરતી ઓખાની બોટ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ દરિયામાં હંગામો મચી ગયો હતો. ગોળીબારના કારણે ઓખાની બોટ પલટી ગઈ.

બપોરે માછીમારોને ઓખા બંદરે લાવવામાં આવશે
ઘટનાની માહિતી મળ્યા બાદ, કોસ્ટ ગાર્ડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો અને જાણ થઈ કે બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. આજે બપોરે તેમને ઓખા બંદરે લાવવામાં આવશે. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાની મરીન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર: વિધાનસભા સત્ર શરૂ પ્રશ્નોતરીથી સત્રની શરૂઆત અગત્યની બાબત પર ચર્ચાઓ ગુજરાતના માછીમારો મુદ્દે ગૃહમાં પ્રશ્ન 1200 બોટ પાકિસ્તાનના કબ્જામાં

આ પણ વાંચો: પાકની નાપાક હરકત આવી સામે, માંગરોળની 2 બોટો સહિત 5 બોટોનું અપહરણ, 30 માછીમારોનું પાક મરીન એજન્સીએ કરાયું અપહરણ, અત્યાર સુધી 1200થી વધુ બોટોનુ અપહરણ, અત્યાર સુધી

આ પણ વાંચો: ઓખાની બોટ પાકિસ્તાની મરીન બોટ સાથે ટકરાઇ, માછીમારો લાપતા