Patan News : પાટણમાં ખેડૂતોએ પાણી માટે નહેરમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં હારીજ તાલુકાના ખેડૂતોએ પાણી માટે નહેરમાં ઉતરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ પાણી ન મળતા “પાણી આપો પાણી આપો” ના નારા લગાવ્યા હતા. તે સિવાય તેમણે નાયબ કાર્યપાલક ઇજનેરને રજુઆત આપી પાણીની માંગ કરી હતી.
પાણીના અભાવે રવિ પાકોને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજીતરફ ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ખેતીલાયક પાણી નહી મળે તો ઉપવાસની ધમકી ઉચ્ચારી છે. જેને પગલે અધિકારીએ એક સપ્તાહમાં કેનાલમાં પાણી આપવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો:ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં
આ પણ વાંચો:પ્રદૂષણના વધતા જતા સ્તરથી અસ્થમાના દર્દીઓ કેવી રીતે મેળવશો રાહત?
આ પણ વાંચો:પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ
