Ahmedabad News : અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બેફામ કારની અડફેટે આવી જતા વૃધ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવ જમાલપુર બ્રિજ શાક માર્કેટ પાસે સર્જાયો હતો. જેમાં પુરપાઠ ઝડપે જઈ રહેલા કારચાલકે શાકભાજી વેચતા વૃધ્ધાને કચડ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
બીજીતરફ અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ગંભીરપણે ઘાયલ વૃધ્ધાનું મોત નીપજ્યુ હોવાનો દાવો સ્થાનિક લોકોએ કર્યો હતો.
આ પણ વાંચો: ધોળકા હાઈવે પર ભયંકર અકસ્માતમાં 5 ના ઘટનાસ્થળે મોત, 2 ની હાલત ગંભીર
આ પણ વાંચો: ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત
આ પણ વાંચો: અમદાવાદમાં ધોળકા-બાવળા રોડપર ગમખ્વાર અકસ્માત, યુવકનું નિપજયું મોત
