Porbandar News/ મનસુખ માંડવિયાએ પોરબંદરના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યું

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર સંસદીય મત વિસ્તારમાં રૂ. 17.14 કરોડનાં અનેક વિકાસલક્ષી કામોનું ઈ- ખાતમૂહુર્ત અને રૂ.2.34 કરોડનાં વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કર્યું. પોરબંદરથી દિલ્લી અને મુજજફરપુર માટેની LHB માં રૂપાંતરણ થયેલી ટ્રેનનું પણ ઈ-લોકાર્પણ

Top Stories Gujarat Others Breaking News

Porbandar News: આજે કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર સંસદીય મત વિસ્તારમાં આવતા જેતપુર અને જામકંડોરણા તાલુકાઓમાં રૂ.17.14 કરોડનાં અનેક વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહુર્ત અને રૂ.2.34 કરોડનાં વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમજ તેમણે પોરબંદરથી દિલ્લી અને મુજજફરપુર માટેની દ્વિ-સાપ્તાહિક એલ. એચ. બી.(LHB)માં રૂપાંતરણ થયેલી ટ્રેનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યનાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને કાંધલ જાડેજા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર સંસદીય મત વિસ્તારમાં આવતા જેતપુર અને જામકંડોરણા તાલુકાઓમાં કુલ રૂ. 17.14 કરોડનાં 61 વિકાસલક્ષી કામોનું ઈ- ખાતમૂહુર્ત કર્યું હતું. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 1.56 કરોડનું ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલટર બિલ્ડિંગ, માર્ગ અને મકાન વિભાગ હેઠળ પોરબંદર જિલ્લામાં રૂ.10.02 કરોડના 10 વિકાસલક્ષી કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ જિલ્લાનાં કુતિયાણા તાલુકામાં રૂ. 1.86 કરોડનાં કુલ 6 નવ નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાનાં રૂ.97.58 લાખના 36 વિકાસલક્ષી કામનું ઈ- ખાતમૂહુર્ત કર્યું હતું.

આ ઉપરાંત તેમણે નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ જિલ્લાનાં રૂ.41.97 લાખનાં 1 વિકાસલક્ષી કામ, સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ પોરબંદર તાલુકાનાં મોઢવાડા ગામે રૂ.20 લાખનાં રી-ક્રીએશન પાર્ક અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ 15 માં નાણાંપંચનાં પોરબંદર જિલ્લાનાં રૂ.10.67 લાખનાં 6 વિકાસલક્ષી કામનું ઈ- ખાતમૂહુર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાનાં રૂ.1.92 કરોડનાં 82 વિકાસલક્ષી કામ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ 15 મા નાણાપંચનાં પોરબંદર જિલ્લાનાં રૂ.41.45 લાખનાં 18 વિકાસલક્ષી કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે

આ પણ વાંચો: દરેક નાગરિક મતદાન કરે તે જરૂરી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અપીલ

આ પણ વાંચો: કચ્છમાં વાવાઝોડા સામે લડવાનું સુકાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંભાળ્યું