Surat News: આજે સુરત(Surat)-ભુસાવલ રેલ્વે લાઈન પર લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતા રેલ્વે અંડર પાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ કર્યું છે.

સુરત-ભુસાવલ રેલ્વે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે અંદાજીત રૂપિયા 53.58 કરોડના ખર્ચે તૈયાર થયેલ લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતા રેલ્વે અંડર પાસ બ્રિજની લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ, સુરત શહેરનાં પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શહેર મહામંત્રી કિશોર બિંદલ, ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:શ્રમિકોના ફાયદા માટે કરાશે બેઠક, રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે ડૉ. મનસુખ માંડવિયા
આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરમાં સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કરશે
આ પણ વાંચો:દરેક નાગરિક મતદાન કરે તે જરૂરી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અપીલ
