Breaking News: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આશોક ભટ્ટ બ્રિજ (ફૂલબજાર તરફ ઉતરતી દિશામાં) આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં AMTS (મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ની બસ સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચડી ગઈ. આ ઘટનામાં બસના ચાલક માજીદભાઈને ગંભીર ઈજાઓ પહોંચી, જેમને તાત્કાલિક LG હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાની સુરક્ષા અને ડ્રાઈવરોની તાલીમ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આજે રાત્રે લગભગ બાર વાગ્યાને ચાલીસ મિનિટે થયેલી આ ઘટના દરમિયાન, AMTS બસ ઝડપથી આશોક ભટ્ટ બ્રિજ પરથી ઉતરી રહી હતી. પ્રત્યક્ષદર્શી મુજબ, બસે અચાનક નિયંત્રણ ગુમાવ્યું, સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને પછી ડિવાઈડર પર ચડી ગઈ. આ ઘટનામાં બસનો આગળનો ભાગ નુકસાન પામ્યો, અને ચાલક માજીદભાઈને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ. સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી, અને ચાલકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમદાવાદમાં MTS અને BRTSની બસોના કારણે થતા અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. માત્ર બે દિવસ પહેલા ગોમતીપુર વિસ્તારમાં બેફામ ડ્રાઇવિંગના કારણે એક અન્ય અકસ્માતમાં નિર્દોષ નાગરિકો ઘાયલ થયા હતા. આવી ઘટનાઓએ શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાની ગુણવત્તા અને સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
