Ahmedabad News/ સાબરમતીમાં ફટાકડો ફૂટતા કિશોરીનું મોત

ફટાકડો ફૂટતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : સાબરમતીમાં ન્યુ રાણીપ ચેનપુરમાં ફટાકડો ફૂટતા 16 વર્ષની કિશોરીનું મોત નીપજ્યુ હતું.આ બનાવની વિગત મુજબ ન્યુ રાણીપમાં ચેનપુર રોડ પર મેઘા આર્કેડમાં રહેતા મિનેશભાઈ પુરોહિતની 16 વર્ષની પુત્રી તેમની સોસાયટીના ગેટની બહાર ફટાકડા ફોડી રહી હતી.

દરમિયાન ફટાકડો ફૂટતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને સાયનસ સિટી રોડ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડીસા ફટાકડાના ગોડાઉનમાં આગ મામલે ઋષિકેશ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા

આ પણ વાંચો:ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, મૃત્યુ આંક 21 ઉપર પહોંચ્યો

આ પણ વાંચો:ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં લાગી વિકરાળ આગ, 17 શ્રમિકોના મોત