Gandhinagar News/ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને મિશન મોડ પર લઈ જવા બેઠક યોજાઈ…

‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી…

Gujarat Gandhinagar

Gandhinagar News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ની અધ્યક્ષતામાં ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને મિશન મોડ પર લઈ જવા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) અને ‘હર ઘર સ્વદેશી’ (Har Ghar Swadeshi)ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તમામ વિભાગોના વડા-ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના તમામ વિભાગોના વડા-ઉચ્ચ અધિકારીઓ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

વિભાગો દ્વારા આયોજિત થતા વિવિધ કાર્યક્રમોમાં પણ સ્વદેશી ઉત્પાદકો પ્રોત્સાહિત થાય તે હેતુસર લોકલ ફોર વોકલ’ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન કરવામાં આવ્યું

નાગરિકો મહત્તમ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવે તે પ્રકારની જનજાગૃતિનો હેતુ

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો મહત્તમ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવે તે પ્રકારની જનજાગૃતિ (Awareness) કેળવવાનો છે. તે ઉપરાંત, બેઠકમાં અન્ય મહત્વની બાબતો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિદેશી ચીજવસ્તુઓને બદલે સ્વદેશી ચીજવસ્તુઓ (Swadeshi Products)ની ખરીદી માટે લોકો પ્રેરાય તે પ્રકારની જનજાગૃતિ કેળવવી, સ્વદેશી ચીજવસ્તુઓની માંગ વધારવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા પર ભાર મૂકવો, ‘હર ઘર સ્વદેશી’ મુહિમને મિશન મોડ પર લઈ જવા માટેની બારીક વ્યૂહરચના તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.

‘બદલાવ સ્વયંથી’નો સંકલ્પ લેવા ભારપૂર્વક સૂચન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘બદલાવ સ્વયંથી’નો સંકલ્પ લઈને સૌ પ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુઓ અપનાવે તે માટે ભારપૂર્વક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થવાથી એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વેગ મળશે.

આ પ્રસંગે આત્મનિર્ભર ભારત અભિયાનના પ્રદેશ ઈનચાર્જ પ્રદીપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, ડૉ. અંજુ શર્મા, પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિની કુમાર, આર.સી.મીણા સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગર:મહાત્મા મંદિર રોડ ઉપર થયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો:યુપીના મુઝફ્ફરનગરમાં ગમખ્વાર કાર અકસ્માત: ગાંધીનગરથી કેદારનાથ જતાં 4 મિત્રોનું મોત, 1 ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત