Sabarkantha News : સાબરકાંઠામાં સ્ટાફ ક્વાટર્સમાં હત્યા અને આપઘાતના બનાવને પગલે ચકચાર મચી ગઈ છે. જેમાં હિંમતનગરમાં GMERS હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં છાયાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ અંગે છાયાબેનના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં મૃતક છાયાબહેનના પતિ અને સસરા સામે અરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ છાયાબનને તેમના પતિ અને સસરા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પતિ અને સસરા શારીરિક અને માનસિક ત્રાસ આપીને મારઝૂડ કરતા હોવાથી છાયાબેનના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના અઠવાડિયા ઉપરાંતના સમય બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એ ડિવીઝન પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ આનંદો, દિવાળી પછી પડતર દિવસે રજા મળતા મળશે મિની વેકેશન
આ પણ વાંચો: સરકારી કર્મચારીએ હેલ્મેટ પહેર્યું હશે તો જ કચેરીમાં મળશે પ્રવેશ, સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજીયાત
આ પણ વાંચો: રાજ્યના 60 હજાર સરકારી કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ
