Surat News : સુરતમાં વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરનારા આચાર્યને આજે માંડવી કોર્ટમાં હાજર કરવામાં આવશે. સુરતના માંડવીની નરેણ ગામની આશ્રમ શાળામાં આચાર્યર્એ વિદ્યાર્થીનીઓને શારીરિક અડપલા કરતા આ મામલો ચકચારી બન્યો હતો. પોલીસ આરોપી આચાર્યને કોર્ટમાં હાજર કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ માંગે તેવી શક્યતા છે.
આ કેસની તપાસમાં લંપટ આચાર્યએ ચાર જેટલી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું હતું. તે સિવાય અન્ય વિદ્યાર્થીનીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. આરોપી આચાર્ય વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરતો હતો.
આ પણ વાંચો: નવરાત્રિને લવરાત્રિ કહેનારા સ્વામીનો બચાવ, મેં ફક્ત ખરાબ નજરવાળા લોકો પર વ્યંગ કર્યો
આ પણ વાંચો: નવરાત્રિમાં ગમે ત્યારે વરસાદી ઝાપટું પડશે, વાવાઝોડાની પણ શક્યતા
આ પણ વાંચો: નવરાત્રિમાં રમાય છે ગરબા અને દાંડિયા, શું છે બંને વચ્ચેનો તફાવત, ચાલો જાણીએ
