Ahmedabad News: આજકાલ દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે ભોજન બનાવવાનો પણ સમય નથી. પતિ-પત્ની બંને ઘરમાં નોકરી કરે છે, જેના કારણે તેઓ અવારનવાર રેસ્ટોરન્ટ, હોટલમાં જાય છે અને ખાવાનું ખાય છે અથવા ઓનલાઈન ઓર્ડર કરે છે. ઘણી એવી એપ્સ છે જેના દ્વારા ગરમાગરમ ખાવાનું ઘરે બેઠા જ ઓર્ડર કરી શકાય છે.આ સિવાય ઘણી વાર લોકો રજાઓના દિવસોમાં પરિવાર સાથે ભાર જમવા જતા હોય છે.પરંતુ તેમાં પણ તેમને ઘણી વાર જમવામાં કઈને કઈ નીકળતા નિરાશા મળતી હોય છે.આવોજ એક મામલો અમદાવાદમા આવેલ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે બની છે, જ્યાં ઢોસામાંથી પથ્થર નીકળ્યો છે.જી હા..કાંકરિયા ફૂડ અને ફન માટે જાણીતું છે ત્યાં હમેસા લોકોનો મેળાવડો જોવા મળે છે, ત્યારે આવી ઘટનાઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા લોકોમાં રોષ જોવા મળે છે.
આપને જબવી દઈએ આ ઘટના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ પ્રિન્સ રિફ્રેશમેન્ટની છે જ્યાં ઢોસામાંથી પથ્થર નીકળ્યો છે.જયારે તેના માલિકને અ વિશે જણાવવામાં આવ્યું ત્યારે તેમને તે વાત નો સ્વીકાર કર્યો હતો ,તેમજ તેમનાથી ભૂલ થઇ હોવાનું પણ સ્વીકાર્યું હતું. ત્યારે ગ્રાહકની સતર્કતાએ કારણે આ મામલો સામે આવ્યો છે.
ભોજનમાં મસાલા મનપસંદ વાનગીઓમાં સ્વાદ અને સુગંધ ઉમેરતા ઉત્કૃષ્ટ ઘટકો, રાંધણ અનુભવોને વધારવાની તેમની ક્ષમતા માટે હંમેશા પ્રશંસા કરવામાં આવે છે.પરંતુ જો એજ ભોજનમાં પથ્થર મળી આવે તો તે ભોજન ખાવા લાયક રહેતું નથી.ત્યારે ગ્રાહકની સતર્કતાથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે.ત્યારે ભોજનમાં આવી વસ્તુઓ મળવી આપણા સ્વાસ્થ્ય માટે સંભવિત ખતરો ઉભો કરે છે.
આ પણ વાંચો:વરસાદે ખેડુતોની ચિંતા વધારી,અંબાજી માં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ સર્જાયું
આ પણ વાંચો:પોલીસમાં જોવા મળ્યો હિટલર Rule,મામૂલી બાબતમાં કોન્સ્ટેબલને ફટકાર્યો 10 રૂપિયાનો દંડ
આ પણ વાંચો:અમરેલીમાં 24 કલાકમાં બે સિંહોના મોત, એક તો શિકાર કરવા જતા મોતને ભેટ્યો