Not Set/ મોદીને ગળે મળો, દેશને લુંટો અને માલ્યાની જેમ ભાગી જાઓ : PNB ફ્રોડ મામલે રાહુલ ગાંધી

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ફ્રોડનો મામલો હવે રાજકારણમાં પણ ગરમાઈ રહ્યો છે. આ આ મામલાને લઇ હવે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ સત્તાધારી પક્ષ પર હુમલો બોલવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. […]

Top Stories
gandhi pti 1 મોદીને ગળે મળો, દેશને લુંટો અને માલ્યાની જેમ ભાગી જાઓ : PNB ફ્રોડ મામલે રાહુલ ગાંધી

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકમાં થયેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના ફ્રોડનો મામલો હવે રાજકારણમાં પણ ગરમાઈ રહ્યો છે. આ આ મામલાને લઇ હવે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ સત્તાધારી પક્ષ પર હુમલો બોલવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે ટ્વીટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

nirav1 મોદીને ગળે મળો, દેશને લુંટો અને માલ્યાની જેમ ભાગી જાઓ : PNB ફ્રોડ મામલે રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે “નીરવ મોદી PM મોદી સાથે દાવોસમાં જોવામાં આવ્યા હતા”.

રાહુલ ગાંધીએ ટ્વીટર દ્વારા હુમલો બોલતા જણાવ્યું હતું કે, “ભારતને લુંટવાનો કીમિયો નીરવ મોદીએ સમજાવ્યો છે. સૌથી પહેલા નરેન્દ્ર મોદીને ગળે મળો, દાવોસમાં પીએમ મોદી સાથે પણ દીખાવો. દેશના ૧૨૦૦૦ કરોડ રૂપિયા ચોરી કરો અને લલિત મોદી તેમજ વિજય માલ્યાની જેમ દેશમાંથી પૈસા લઈને ભાગી જાઓ“.

કોંગ્રેસ ઉપાધ્યક્ષે વધુમાં જણાવ્યું, આ સમયે સરકાર માત્ર મો જોતી રહી ગઈ છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ ટ્વીટમાં એક હેશટેગનો ઉપયોગ કર્યો હતો જેમાં લખ્યું હતું કે #from1MODI2another એટલે “એક મોદી થી બીજા મોદી સુધીની કહાની“.

રાહુલ ગાંધી ઉપરાંત પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટ દ્વારા મોદી સરકાર પર હુમલો બોલ્યો હતો. મોદી સરકારને આ મામલે જવાબદાર ગણાવતા તેઓએ સવાલો પૂછતા જણાવ્યું,

  • આરોપી નીરવ મોદી કોણ છે ?
  • શું આ નવું #મોદી સ્કેમ છે ?
  • શું આ મામલે પણ લલિત મોદી અને વિજય માલ્યાની જેમ સરકારના કોઈ અંદરના વ્યક્તિએ સુચના આપી હતી તેથી કાર્યવાહી થતા પહેલા તે વિદેશમાં ભાગી જાય ?
  • શું આ જ નિયમ બની ગયો છે કે આરોપીઓને જનતાના પૈસા સાથે ભગાડી મુકવામાં આવે ?
  • આ મામલા માટે કોણ જવાબદાર છે ?

મહત્વનું છે કે, પંજાબ નેશનલ બેંકની મુંબઈ સ્તિથ બ્રાંચમાં ગુરુવારે કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયાનું ફ્રોડ ટ્રાન્જેકશન થયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરતા અરબપતિ જવેલરી ડીઝાઇનર નિરવ મોદી વિરુદ્ધ FIR નોધવામાં આવી છે. અને નિરવ મોદી કેસમાં જોડાયેલ ૯ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા.