Lok Sabha Election 2024/ સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેન ચૂંટણી પ્રચાર માટે આવી શકે છે ગુજરાત, AAP રાજ્ય એકમે મોકલ્યું આમંત્રણ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનિતા કેજરીવાલ આ દિવસોમાં પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે.

Gujarat Others

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનિતા કેજરીવાલ આ દિવસોમાં પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. બીજી તરફ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ બાદ તેમની પત્ની કલ્પના સોરેન પણ આ ચાર્જ સંભાળી રહ્યા છે. હવે આ બંને નેતાઓ ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેવાના છે. મળતી માહિતી મુજબ સુનિતા અને કલ્પનાની ચૂંટણી પ્રચાર યાત્રા ગુજરાતમાંથી શરૂ થઈ શકે છે. બંને નેતાઓ રામલીલા મેદાનમાં સાથે જોવા મળ્યા હતા.

આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટે સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેનને ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપ્યું છે. કેજરીવાલ અને હેમંત સોરેનની પત્નીઓ અગાઉ રામલીલા મેદાનમાં સાથે જોવા મળ્યા હતા અને હવે તેઓ ગુજરાત ચૂંટણી પ્રચારમાં સાથે જોવા મળી શકે છે. AAPનું ગુજરાત એકમ ભરૂચથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આદિવાસી નેતા ચૈતર વસાવાના નામાંકન માટે સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેનને આમંત્રણ મોકલશે.

INDIA બ્લોક હેઠળ આમ આદમી પાર્ટીને ભરૂચ અને ભાવનગરની લોકસભા બેઠકો મળી છે. જેમાં ભરૂચ આદિવાસી બહુલ વિસ્તાર છે અને ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી નેતા ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચૈતર વસાવા 16 થી 18 માર્ચ દરમિયાન ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે અને તે જ દિવસે સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેન નામાંકન રેલીમાં હાજરી આપી શકે છે.

ભરૂચ આદિવાસી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આવી સ્થિતિમાં કલ્પના સોરેન આદિવાસી ચહેરા તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચારમાં ભાગ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીમાંથી રાહત! ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, ક્યા જિલ્લામાં ક્યારે પડી શકે છે વરસાદ?