અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી પલાસ્ટોકોન કંપનીમાંદીવાલ ધરાશયી થતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા 4જેટલા કામદારોને અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 4 વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું.મહત્વનુ છે કે ઇજાગ્રતોને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે . મહત્વનુ છે કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના.
આ પણ વાંચો:જમ્મુ અને કાશ્મીર / શ્રીનગરમાં ભારે હિમવર્ષાને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરાઇ
મહત્વનુ છે કે થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગાસ્કેટમાંથી ગેસ લીક થતા કંપનીની પાછળ ચાલી રહેલા અન્ય કંપનીના કન્સ્ટ્રકશનનું કામ કરતા 6 જેટલા કામદારોને અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેસ લિકેજથી કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.
આ પણ વાંચો:સુરક્ષામાં ચૂક / તમારા CM ને થેંક્સ કહેજો કે, હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યોઃPM મોદી
વર્ષ 2021ના છેલ્લા દિવસે જ ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગેસ લિકેજની ઘટનાથી અફડાતફડી મચી ગઇ હતી. અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ કંપનીમાં આજે શુક્રવારે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ગાસ્કેટમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ લીક થયો હતો.