તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વખત સત્તા પરત ફરી રહી છે અને રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વિજય પશ્ચિમ બંગાળનાં લોકોને સમર્પિત કર્યો હતો. આ સાથે તેમણે ચૂંટણી પંચ અને ભાજપ બંને પર કટાક્ષ પણ કર્યો હતો. જો કે, તૃણમૂલ સુપ્રીમોને નંદીગ્રામમાં મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં પાછળથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તેમના નજીકનાં સાથી સુવેન્દુ અધિકારીએ તેમને નજીકનાં માર્જિંગથી પરાજિત કર્યા હતા. જો કે, તૃણમૂલ કોંગ્રેસે હજી સુધી નિર્ણયને સ્વીકાર્યો નથી અને દાવો કર્યો છે કે હજી પણ મતગણતરી ચાલુ છે.
રાજકારણ / કેરળમાં પહેલીવાર શાસક પક્ષની વાપસી, પિનરાય વિજયને 4 દાયકાના ઇતિહાસને બદલ્યો
ટીએમસીએ તેના સત્તાવાર ટ્વિટ પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું છે કે, નંદિગ્રામની ગણતરી પ્રક્રિયા પૂર્ણ નથી થઇ, કૃપા કરીને અનુમાન ના લગાવો. રાજ્ય સચિવાલય નબન્નામાં બોલતા, બેનર્જીએ ચૂંટણી પંચને સંકેત આપ્યો કે નંદીગ્રામમાં કંઈક ખોટું થયું છે. મમતાએ કહ્યું કે, ચૂંટણી પંચે ભાજપનાં પ્રવક્તા તરીકેની ભૂમિકા ભજવી હતી અને હવે જુઓ કે તેઓ શું કરી રહ્યા છે. ત્રણ કલાક પહેલા, તેમણે કંઈક કહ્યું અને હવે તે કંઈક બીજું કહી રહ્યા છે. નંદિગ્રામને તેનો નિર્ણય લેવા દો, હું તેને સ્વીકારીશ અને કોર્ટમાં જઇશ. બેનર્જીનું બીજું એક ટ્વીટ પણ હતું, જેમાં લખ્યું હતું કે, એક મોટી લડત જીતવા માટે તમારે કંઇક બલિદાન આપવું પડશે. જણાવી દઇએ કે, તે એ ભ્રમ તરફ ઇશારો કરી રહ્યા હતા જે નંદિગ્રામમાં વ્યાપ્ત હતો. શરૂઆતમાં એક ઘોષણા કરવામાં આવી હતી કે બેનર્જી નંદીગ્રામથી જીત્યા હતા. ભાજપનાં પ્રવક્તા જય પ્રકાશ મજમુદારે પણ બેનર્જીને આ વિજય માટે અભિનંદન આપ્યા હતા, પરંતુ તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે સુવેન્દુ અધિકારીનો વિજય થયો છે. બેનર્જીએ કહ્યું કે, આ બંગાળનાં લોકોનો વિજય છે. આ દેશની જનતાની જીત છે. લોકશાહીની આ જીત છે. બંગાળનાં લોકોએ લોકશાહીને બચાવી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા પણ કરી હતી કે ભાજપ સામે તેમની લડત ચાલુ રહેશે.
કોરોના સંક્રમણ / દેશમાં નવા કેસમાં ફરી ઘટાડો,24 કલાકમાં નોંધાયા પોણા ચાર લાખ કેસ, રિકવરી ત્રણ લાખ નજીક, કુલ કેસ આટલા
મમતાએ કહ્યું કે હું જાહેર કરું છું કે, રાજ્યનાં તમામ લોકોને મફત રસી મળશે. હું કેન્દ્ર સરકારને વિનંતી પણ કરવા માંગુ છું કે, દેશનાં તમામ લોકો માટે મફત રસીકરણની વ્યવસ્થા કરવામાં આવે. આ અમારી માંગ છે અને જો તે પૂર્ણ નહીં થાય તો હું તે કરીશ. તેમણે કહ્યું કે, ભાજપે પૈસા-બળ, બાહુબલ અને શક્તિનો ઉપયોગ કર્યો, પરંતુ બંગાળનાં લોકોએ વિકાસ માટે મત આપ્યો છે. બંગાળનાં લોકોએ લોકશાહીને બચાવી છે. હું મારી બધી માતાઓ, બહેનો અને લઘુમતી ભાઈ-બહેનોને અભિનંદન પાઠવુ છું. બેનર્જીએ એ પણ જાહેરાત કરી કે કોવિડની પરિસ્થિતિને કારણે કોઈ વિજય સરઘસ નહીં થાય. તેમણે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ પણ સાધારણ રીતે કરવામાં આવશે.