આજે સવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની રચના અંગે ચુકાદો આપ્યો છે. હવે તે પછી તરત જ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા છે. ફડણવીસને મળતા પહેલા અજિત પવારે એનસીપી નેતા પ્રફુલ પટેલને મળ્યા હતા, જેમાં બહાર આવ્યું છે કે એનસીપી દ્વારા અજિત પવારને છાવણીમાં પાછા લાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. પટેલનું નિવેદન પણ આવ્યું જેમાં જણાવાયું કે અમે અજિત સાથે સંપર્કમાં છીએ અને અજિત અમને સમજી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ પણ મળી રહ્યા છે.
ભાજપમાં પણ બેઠકનો દોર તેજ
એવા અહેવાલ મળ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાને એક બેઠક ચાલી રહી હતી, જેમાં અજિત પવાર પણ હાજર રહેવા પહોંચ્યા હતા. આ ઉપરાંત પાર્ટીની કોર કમિટીની બેઠક માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે આશિષ શેલાર, રાવસાહેબ દનવે, ગિરીશ મહાજન, ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના અન્ય નેતાઓ પહોંચ્યા હતા.
ભાજપના ધારાસભ્ય હરિભાઇ બાગડે પણ દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચી ગયા છે. તે પાછલી વિધાનસભાના અધ્યક્ષ હતા અને સત્તાવાર રીતે, આગામી અધ્યક્ષ પદ સંભાળે ત્યાં સુધી તેઓ અધ્યક્ષ છે. તે સ્પીકરની ઓફિશિયલ કારમાં પહોંચ્યાં હતા.
આ પછી, ભાજપના નેતા રાવ સાહેબ દાનવેએ કહ્યું, ‘અમે અમારી બહુમતી સાબિત કરીશું. આજે રાત્રે 9 વાગ્યે, ભાજપના તમામ ધારાસભ્યો મુંબઈની ગાર્વેર ક્લબ ખાતે મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.