@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
અમરેલી, રાજુલા, ગીર વિસ્તારોમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોમાં અને ત્યાનાં વિસ્તારોનાં લોકો માટે કાંઠી સમાજનાં લોકોએ ચોટીલાથી વાહનો ભરી ખાદ્ય સામગ્રી પહોંચાડી હતી. જણાવી દઇએ કે, તાઉતે વાવાઝોડાએ સમગ્ર રાજુલા, અમરેલી ગીર પંથકમાં હાહાકાર મચાવ્યો હતો.
શિખર બેઠક / ફરીથી શસ્ત્ર નિયંત્રણના કોઈ મોટા કરારમાં જોડાશે નહીં : અમેરિકાએ રશિયાને આપી માહિતી
યાસ વાવાઝોડું / ઝારખંડમાં આઠ લાખ લોકો પ્રભાવિત, વડાપ્રધાન મોદી આજે કરશે ઓડીશા અને બંગાળનું હવાઈ નિરીક્ષણ
આ દરમિયાન અનેક ગામોમાં વરસાદ અને પવનથી ખુબ જ મોટાં પ્રમાણમાં લોકોને માલમિલકતની નુકસાની વેઠવી પડી હતી. ત્યારે અનેક ગામોમાં હજુ સુધી લાઈટો પણ બંધ હોવાથી અનાજ દળવાની ઘંટીઓ પણ ચાલુ ન હોવાથી લોકોને ખાવામાં પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે હરેશભાઈ ધાધલ સહીત ચોટીલાનાં કાઠી સમાજનાં યુવાનો દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોટીલાથી વાહનો દ્વારા ત્યાનાં લોકો માટે ખાદ્ય ચીજ વસ્તુઓ 500 ઘઉંનો લોટ દાળાવી અને બિસ્કીટ સહીત ખાદ્ય વસ્તુઓની કીટો તૈયાર કરીને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનાં લોકો સુધી પહોંચાડીને માનવંતા દર્શાવી હતી.
નવી માર્ગદર્શિકા / કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની માર્ગદર્શિકા 30 જુન સુધી લંબાવી, જાણો કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક તરફ કોરોનાનાં કહેરથી લોકો પહેલા જ પરેશાન અને દુઃખી હતા ત્યારે બીજી તરફ તાઉતે વાવાઝોડાએ બાકી બચેલી કસર પણ પૂરી કરી હતી. જો કે તાઉતે વાવાઝોડુ ગુજરાતમાંથી પસાર થઇ ચુક્યુ છે. પરંતુ જગ્યે જગ્યે પોતાના નિસાનો છોડતુ ગયુ છે.