ઉત્તર પ્રદેશની રાજધાનીમાં લખનઉમાં કોરોનાએ કાળો કહેર વસાવ્યો છે. હોસ્પિટલોમાં બેડ તંગી છે, તો સ્મશાનગૃહની બહાર મૃતદેહની લાંબી કતારો જોવા મળી રહી છે. પાછલા દિવસે લખનઉના બાયકુંઠ ધામ સ્મશાન ઘાટનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ડઝનેક મૃતદેહ એક સાથે સળગી રહ્યા હતા. હવે આ સ્મશાનભૂમિની આજુબાજુ પતરા લગાવવામાં આવ્યા છે જેથી બહારથી કાંઈ દેખાઈ ન શકે. લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બેરીકેડીંગ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો :સીબીઆઇ ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિકના જાસૂસી કેસની તપાસ કરશે
આપને જણાવી દઈએ કે ભેંસાકુંડમાં સ્થિત બાઇકુંઠ ધામ લખનઉના સૌથી મોટા સ્મશાન ઘાટમાંથી એક છે. કોરોનાના વધતા જતા મૃત્યુ આંક વચ્ચે અંતિમ સંસ્કાર માટે અહીં લાશ લાવવામાં આવી રહી છે. સ્થિતિ એવી છે કે લાકડા ઓછા પડી રહ્યા છે.દરમિયાન ગતરોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક સાથે અનેક મૃતદેહ સળગતા હતા. જોકે લોકોએ આ પરિસ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા, તો પછી સ્મશાનસ્થાનની આસપાસ પતરા પગવી મૂકીને તેને ઢાંકી લેવામાં આવ્યું છે.
આ મુદ્દે રાજકીય નિવેદનો પણ સામે આવી રહ્યા છે. આમઆદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે આનો એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું છે કે, જો હોસ્પિટલ બનાવવામાં આટલી મહેનત કરવામાં આવે તો સ્મશાન છુપાવવાની જરૂર નહીં રહે.
આ પણ વાંચો :બંગાળમાં કોંગ્રેસનાં ઉમેદવારનું કોરોનાથી નિધન
તે જ સમયે, કોંગ્રેસના યુપી એકમ પણ ટ્વિટ કરવામાં આવ્યું હતું. યુપી કોંગ્રેસે લખ્યું છે કે તમે નિર્લજ્જતાપૂર્વક લાખ છુપાવો, પરંતુ દુનિયાને ખબર પડી જ જશે. લખનઉમાં બાયકુંઠ ધામ માર્ગ ચારે બાજુથી કવર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :દીકરી સાથે બળાત્કારની વાત સાંભળીને પાગલ થયો પિતા, કરી નાંખી 6 લોકોની હત્યા
આપને જણાવી દઈએ કે, લખનઉ આ સમયે કોરોનાની સૌથી મોટી લહેરનો સામનો કરી રહ્યું છે. દરરોજ લગભગ 5000 કોરોના કેસ શહેરમાં આવી રહ્યા છે. મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલની અંદર કોઈ પલંગ નથી, લોકોને પરીક્ષણ માટે લાંબી રાહ જોવી પડશે અને જો પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તો રિપોર્ટ સમયસર નથી આવી રહ્યો. કોરોનાના આ વધતા કેસ વચ્ચે, લખનઉ સહિત રાજ્યના દસ જિલ્લાઓમાં રાત્રિના કર્ફ્યુનો સમય રાતના આઠ વાગ્યાથી સવારના સાત સુધી વધારવામાં આવ્યો છે.
આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટના જજ એમ આર શાહનો સમગ્ર સ્ટાફ કોરોના પોઝીટીવ