ચંદ્રયાન-3 મિશનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ કહ્યું છે કે શુક્રવારે તેમણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો હેતુ તેમની જાગવાની સ્થિતિને શોધવાનો છે. હાલમાં તેમના તરફથી કોઈ સંકેત મળ્યા નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
આ પહેલા ઈસરો (સ્પેસ એપ્લીકેશન સેન્ટર)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું હતું કે સૂર્ય ચંદ્ર પર ઉગ્યો છે. અગાઉની યોજના એવી હતી કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન શુક્રવારે ફરી સક્રિય થશે. પરંતુ, કેટલાક કારણોસર આ યોજના મુલતવી રાખવામાં આવી છે. આ માટે 23 સપ્ટેમ્બરે પ્રયાસો હાથ ધરાશે. તેમણે તેમના નિવેદનમાં ઉલ્લેખ કર્યો નથી કે ઈસરોએ સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે મૂંઝવણ સર્જાઈ હતી.
યોજના મુજબ, લેન્ડર અને રોવરને 22 સપ્ટેમ્બરની સાંજે ફરીથી સક્રિય થવાના હતા. ભારતીય અવકાશ એજન્સીએ તેને 4 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં મૂક્યું હતું. ઇસરોએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે તેમની જાગેલી સ્થિતિ જાણવા માટે સંચાર સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.” હાલમાં તેમના તરફથી કોઈ સંકેત મળ્યો નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.
#WATCH | Anand, Gujarat: On Chandrayaan-3, Director of Space Applications Centre, Nilesh Desai says, “…Earlier we planned to reactivate the (Pragyan) rover and (Vikram) lander on the evening of 22nd September, but due to some reasons we will now do it tomorrow on 23rd… pic.twitter.com/bvFTkXpNjZ
— ANI (@ANI) September 22, 2023
ઈસરોનું આ અપડેટ નિલેશ દેસાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ આવ્યું છે. બંને માહિતી વચ્ચે સૌથી મોટો તફાવત એ હતો કે દેસાઈએ ઉલ્લેખ કર્યો ન હતો કે શુક્રવારે લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તેમણે કહ્યું કે કેટલાક કારણોસર લેન્ડર અને રોવરને ફરીથી સક્રિય કરવાની યોજના એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. હવે શનિવારે વિક્રમ અને પ્રજ્ઞાનને ફરી સક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બંનેના નિવેદનમાં તફાવતને કારણે મૂંઝવણ ઊભી થઈ હતી.