અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાનગી કંપની અદાણી ગ્રુપને સોંપવાને હવે ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલથી સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણી ગ્રુપને આગામી 50 વર્ષ માટે સોંપી દેવામાં આવશે.
surat: રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ફરી એકવાર વિવાદમા…
નોધનીય છે કે, એરપોર્ટ સંકુલ દ્વારા છેલ્લા 10 વર્ષનો ટેકસ હજુ સુધી ભરવામાં આવ્યો નથી. જેને લઇને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ ઓથોરિટીને 22 કરોડનો ટેક્સ ભરપાઈ કરી દેવા માટે નોટીશ ફટકારવામાં આવી છે.
દારૂબંધી: અહીં ભાજપનાં જિલ્લા પંચાયત સભ્યનાં ઘરેથી મળી આવ્યો મોટી માત્…
નોટીશ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મ્યુની. ને ટેકસ ભરી દેવાની ખાતરી આપી હતી. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશ દ્વારા આગામી સાત દિવસમાં ટેક્સ ભરપાઈ કરી દેવા માટે એરપોર્ટ સંકુલને જણાવવામાં આવ્યું છે. આવતીકાલથી એટલે કે ૬ નવેમ્બેરથી અમદાવાદ એરપોર્ટ ખાનગી કંપની અદાણીના નામે થવા જઈ રહ્યું હોવાથી મ્યુની. દ્વારા એરપોર્ટ સંકુલને નોટીશ ફટકારવામાં આવી છે.
Coronavirus: પાછલા 24 કલાકમાં આવી છે ગુજરાત સહિત દેશ દુનિયામાં કોરોનાની સ…
નોધનીય છે કે, એરપોર્ટના ખાનગીકરણ અંગે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. આવતીકાલે એરપોર્ટ પર અદાણી ગ્રુપના બેનર લાગશે. અને પછી ટર્મિનલનું ઓપરેશન,એરપોર્ટનાં વિકાસનું કામ અદાણી ગ્રુપ સંભાળશે. અદાણી અંતર્ગત એરપોર્ટ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરાવમ આવ્યું છે.