વરસાદી સીઝન શરૂ થતા રોગચાળાની સમસ્યા ઉગ્ર બનતી જોવા મળે છે. ત્યારે એએમસી રોગચાળાને લઇને સતર્ક બન્યુ છે. મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે. મચ્છરોનાં ઉપદ્રવો પર કાબુ મેળવવા કામગીરીને શરૂ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, શહેરોનાં વિવિધ હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ-અલગ હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ પાણી ભરાઇ ગયા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેને લઇને હવે એએમસી સતર્ક બન્યુ છે. શહેરનાં હોસ્પિટલ જ નહી પણ તમામ વિસ્તારો કે જ્યા પાણી ભરાતા મચ્છરો વધી જતા હોય છે ત્યા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.