અમદાવાદ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે પકડાયેલા ઢોરને જન્માષ્ટમીના દિવસે છોડવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે આ ઢોરને નહિ છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેને લઈને માલધારી સમાજ દ્વારા ઢોરબજાર ખાતે હોબાળો મચાવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં માલધારીઓ એકઠા થયા હતા અને તેમને હોબાળો મચાવ્યો હતો.

તેમની માંગ હતી કે દરવર્ષની જેમ આ વર્ષે પણ એએમસી દ્વારા ફી પકડાયેલા ઢોર છોડવામાં આવે સાથે જ સરકાર પર આક્ષેપ પણ લગાવ્યા હતા. કે આ ભાજપ સરકારે ગૌના નામે માટે માગ્યા હતા. આને પ્રજાએ તેમણે ખોબે ખોબે મત પણ આપ્યા તો પછી શા માટે આ વર્ષે હિન્દૂ વિરોધી નીતિ અપનાવામાં આવી રહી છે ..
