વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા મોદીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં અવી ચુક્યો છે. ગુરુવારે વડા પ્રધાન મોદીએ ખુદ આ અંગે માહિતી આપી છે. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી અને કહ્યું હતું કે, મને ખુશી થાય છે કે મારી માતાને આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે, હું દરેકને વિનંતી કરું છું કે જેમને રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે તેઓને પ્રોત્સાહન કરો અને રસી લેવામાં મદદ કરો.
Happy to share that my mother has taken the first dose of the COVID-19 vaccine today. I urge everyone to help and motivate people around you who are eligible to take the vaccine.
— Narendra Modi (@narendramodi) March 11, 2021
નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પીએમ મોદીને 1 માર્ચે દિલ્હીના એઈમ્સમાં રસીનો ડોઝ અપાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરા બાની ખૂબ નજીક છે. ઘણીવાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે માતાને મળવા જરૂરથી જાય છે. આ ઉપરાંત જન્મદિવસ નિમિત્તે પીએમ મોદી તેમની માતાને મળવા પણ આવે છે.
1 માર્ચથી, દેશભરના લોકોને રસી આપવાની મંજૂર આપવામાં આવી છે, રાષ્ટ્રવ્યાપી કોરોના રસીનું રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું છે અને કોરોના લડવૈયાઓને શરૂઆતમાં રસી આપવામાં આવી છે. ત્યાર બાદ 1 માર્ચથી 60 વર્ષથી વધુની અથવા 45 વર્ષથી વધુ વયના સહ-વિકલાંગ લોકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે. 45 વર્ષથી ઓછી વયના લોકોને હજી રસી આપવાની મંજૂરી નથી.
કોરોના રસી સંપુર્ણ સુરક્ષીત હોવા અંગે અનેક વાર સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે મોદી સરકારનાં મોટા ભાગના મંત્રીઓએ કોરોના રસી લઇને લોકો વચ્ચે એક પ્રકારે વિશ્વાસ સંપાદનનું કામ કર્યું છે. તેવામાં નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ રસી લેતા વધારે મજબુતાઇથી સંદેશ નાગરિકોમાં ગયો છે કે, કોરોના રસી સંપુર્ણ સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં નિર્મિત કોરોના રસીની દેશ વિદેશમાં ખુબજ માંગ છે. ભારત દ્વારા રસીનું મોટા પાયે નિકાસ પણ કરવામાં આવી રહ્યો છે.
16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં કુલ 2.56 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, બુધવારે, 13 લાખથી વધુ લોકોને કોરોના રસી દ્વારા રસી આપવામાં આવી છે. દેશમાં હાલના સમયમાં રસીકરણ અભિયાનમાં ઝડપથી વધારો થયો છે.
