બહુજ ખાસ અને આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત છે કે, આ આશ્રમ હથીજનના DPS શાળાના સંકુલ માં ચાલે છે. કયા આશ્રમમાં દીક્ષા લીધેલા બાળકો અને ક્યાં ડીપીએસ શાળાના બાળકો, બંને વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકાય તે પણ ખુબ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. આ સંકુલ પાસે આશ્રમ ચલાવવા માટેની કોઈ કાયદેસરની પરમીશન પણ નથી. છતાંય બંને એક જ કેમ્પસ માં કેવી રીતે ચાલી શકે તે સૌથી મોટો આશ્ચર્ય ઉપજાવે તેવો પ્રશ્ન છે, અને બીજું કે આટલા સમયથી શાળા પરિશરમાં આશ્રમ ચાલતો હોવા છતાંય શાળાના કોઈ જ વાલી ગણે તેનો વિરોધ સુધ્ધા નથી નોધાવ્યો…
મંતવ્ય ન્યુઝ સાથે માતાપિતાની વાતચીત બાદ જીલ્લા શિક્ષણ અધિકારીએ CBSC બોર્ડ ને શાળા ખાતે ઘટેલી આ ઘટના અંગે જન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર આ જગ્યા આશ્રમ ને લીઝ માટે આપવામાં આવી હતી. પરંતુ શું શાળા સંચાલકો જગ્યા કોને અને શા માટે લીઝ પર આપીછે, અશર્મ શું પ્રવૃત્તિ ચાલી રહી છે…? તે અંગે ક્યારેય જાણવાની કોશીસ કરી છે..? લીઝ અગ્રીમેન્ટ બનાવ્યા છે…? તેના પોલીસ વેરીફીકેશન કરવામાં આવ્યું છે..? વિગેરે બાબતો કે પછી પ્રશ્ન ઉપજાવે તેવા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.