અમદાવાદ,
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત નવી વીએસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ આજે નરેન્દ્ર મોદી કરવાના છે ત્યારે હોસ્પિટલના લોકાર્પણની પત્રિકામાં ડે.સીએમ અને આરોગ્ય મંત્રી નિતિન પટેલનું નામ ન છપતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
PM મોદી દેશની પ્રથમ ડીજીટલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન,જાણીલો મુલાકાતનું સંપૂર્ણ લિસ્ટ
નીતિન પટેલને ભાજપમાંથી અને સરકારની અનેક કામગીરીમાંથી કટ ટૂ સાઈઝ કરવામાં આવી રહ્યા છે નીતિન પટેલને પાટીદાર અનામત આંદોલન નડયું લાગે છે. અગાઉ પણ પાટીદારોએ અનામત જોઈએ તેમ કરીને કરીને આંદોલન કર્યું હતું. તે વખતે આનંદીબેને પણ મુખ્યમંત્રી પદ પરથી દૂર થવું પડ્યું હતું.