@મેહુલ દુધરેજીયા
Ahmedabad News: અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે.જેન ધ્યાનમાં લઈને શહેરમાં નવા 12 સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે. પરંતુ કાંકરિયાનો પાયલોટ પ્રોજેક્ટ તો ધૂળ જ ખાઈ રહ્યો છે.
રાજ્યમાં પ્રદુષણ ઘટાડવા માટે નવા નવા કીમિયાઓ કરવામાં આવી રહ્યા છે.પ્રદુષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો ને સરકાર પ્રોત્સાહિત કરી રહી છે.શહેરમાં નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર કરી દેવામાં આવ્યા છે.આ સ્ટેશનમાં કાર અને બાઈક ફટાફટ ચાર્જ કરી શકાય છે.લોકો પેટ્રોલ ડીઝલથી સસ્તામાં ચાર્જ કરી શકશે.
કોર્પોરેશને બજેટમાં 100 નવા ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું નક્કી કર્યું હતું.જેના ભાગરૂપે આ 12 સ્ટેશન લગાવ્યા હતા.પરંતુ વર્ષો થી કાંકરિયાનું ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે.આ ચાર્જિંગ સ્ટેશન આજ સુધી એકવાર પણ કાર કે બાઈક ચાર્જ કરવામાં આવ્યું નથી.એટલે હવે સવાલ એ છે કે આ નવા ચાર્જિંગ સ્ટેશન કેટલા સમય ચાલશે.
આ પણ વાંચો:જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક
આ પણ વાંચો:સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો
આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…
આ પણ વાંચો:સુરતમાં સુરાણા અને કંસલ જૂથના લગભગ 260 કરોડથી વધુના ડોક્યુમેન્ટ જપ્ત